________________
નં. ૩૯ ભાવનગર તાબે મહુવા પાસે કતપુર ગામેથી મળેલાં
ધરસેન ૨ જાનાં તામ્રપત્રો
સંવત ૨પર વૈશાખ વદ ૫ (ઈ. સ. ૫૭૧-૭૨) ભાવનગર તાબે કાઠિવાડના દક્ષિણ કિનારા પરનું મહુવા બંદર એક હાનું શહેર છે. અને જ્યાંથી આ પતરાંઓ મળ્યાં છે તે કતપુર ગામ તેની પૂર્વમાં બે મેલપર આવેલું છે. આ બન્ને પતરાંઓ, વલભી રાજાઓની મુદ્રા તથા બન્ને પતરાઓ જોડાએલાં રાખવા માટે પસાર કરેલી કડીઓ સહિત, ભાવનગરના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કાટને લીધે બીજા પતરાંના થોડા અક્ષરો ઝાંખા થઇ ગયા છે પણ તે સુરક્ષિત સ્થિતિમાં છે. તે ઉકેલવામાં કટને લીધે કંઈ પણ હરકત થતી નથી. તેનું માપ ૧૦’છે” છે અને તેમાં અનુક્રમે ૧૬ અને ૧૭ પંક્તિઓ ફક્ત એક બાજુએ લખેલી છે.
વિશાખ અને બપ્પા નામના કેઈ બ્રહ્મચારીઓને અમુક યજ્ઞો કરવાના બદલામાં ડામરિપાટકની પૂર્વ તરફની સરહદ ઉપર એક ખેતરનું દાન બાબતને આ લેખ છે. તે વલભી સંવત ૨૫ (ઈ. સ. ૧૭૧-૭૨)ને છે.
તે સંસ્કૃત ગદ્યમાં લખેલું છે. અને લિપિ વલભી છે.
૧ પ્રા. સ. ઈ. ૫. ૩૫-૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org