________________
નવ ૩૩ ગુહસેનનાં તામ્રપત્રો
સંવત ૨૪૦ શ્રાવણ સુ. ? આ તાપ ઇડીયન એન્ટીકરીના તંત્રી તરફથી મળેલાં હતાં. તેનું માપ ૧૧.૯ ઇંચ ૪૭.૭ Jય છે. સીલ અને કડી ગુમ થયેલાં છે. હાટથી પોરાં ખવાઈ ગયેલાં છે અને બીજું વધુ પડતું ખંડિત છે. ગુહસનનાં બીd પ્રસિદ્ધ થએલાં પતરાંમાંના અક્ષરથી આ પતરાંમાંના અક્ષરો બહુ જૂદા છે તેઓ વધુ હેટા અને સુવ્યક્ત છે અને પ્રવસેન ૧ લાના પતરામાંના અક્ષરોની ઢબને વધુ મળતા આવે છે.
દાન આપ્યાનું સ્થળ લખેલું નથી અને સ્વસ્તિ શબ્દ લખેલે નથી, એ બે બાબતમાં બીજાં બધાં વલભી તામ્રપત્રોથી આ પતરાં જૂદાં પડે છે.
વંશાવળી પણ બીજાં પતરાંનાથી જૂદી છે અને ગુહસેનનું વર્ણન તદ્દન નવું છે. તે નીચે મુજબ છે:
... . . .. .. તેની પછી ધ્રુવસેન રાજ કરે છે. તેના પગે પ્રણામ કરીને બધાં પાપ જેણે ધોઈ નાંખ્યા છે, પોતાના દુશ્મનનાં લશ્કરને હરાવવાથી જે કૃષ્ણ જેવો છે, શુદ્ધ અને કિંમતી રત્નોથી ભરપૂર હાઇને જે સમુદ્ર જે છે, બધાં મનુષ્યની દૃષ્ટિએ મનોહર હોવાથી જે ચંદ્રના જે છે એ પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન .. .. ••
વળી એ પણ ગુંચવાડાભરેલું છે કે ગુહસેના પિતાના પિતા ધરપટ્ટનું નામ વંશાવળીમાં નથી અને ધવસેન ૧ લા પછી તરત જ પિતાનું વર્ણન આવે છે. વધુ આશ્ચર્ય તે એ છે કે તેના પછી ગુહસેનના દીકરાનાં શાસનપત્રોમાં ધરપટ્ટનું વર્ણન છે અને તેને મહારાજાને ઇલકાબ આપેલ છે તેથી તે ગાદી ઉપર આવેલ હવે જોઈએ. આના સમાધાન તરીકે કદાચ સંભવ છે કે ધરપટ્ટે બહુ જ થોડો સમય રાજ્ય કર્યું હોય, જેથી વંશાવળીમાં તેનું વર્ણન બહુ જરૂરનું લાગ્યું નહીં હોય. આ દાનની સાલ ૨૪૦ ઉપગી છે, કારણ ધ્રુવસેન ૧ લા અને ગુહસેન વચ્ચેને સમય ૬ વરસ ટુંકો થાય છે.
ધ્રુવસેન ૧ લાની બેનની દીકરી દુકાએ વલભીમાં સ્થાપેલ વિહારમાં રહેતા બદ્ધ શ્રમણોને દાન આપવામાં આવેલ છે. આ વિહાર બીજા ઘણું લેખોમાં વર્ણવેલ છે. દાનમાં આપેલા ગામનું નામ નષ્ટ થયું છે. બૈદ્ધ ધર્મનાં બીજા દાન માફક આ દાન આપવાનો ઉદ્દેશ પણ નીચે મુજબ છે. વિહારનો જીર્ણોદ્ધાર, શ્રમણને અન્ન વસ્ત્ર ઈત્યાદિ, બુદ્ધની પૂજા માટેની સામગ્રી વિગેરે. ઉપરાંત સદ્ધર્મનાં પુસ્તકની (ખરીદી ), એ એક ન ઉદ્દેશ આમાં છે. વિહારમાં પુસ્તકાલયનું અસ્તિત્વ આનાથી પુરવાર થાય છે.
૧ ઇ. એ. જે. ક ૫, ૬૬ કે. જી. ખુલર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org