SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૩૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત ૨૨૬ કાર્તિક સુ. ૧૫ આ બે પતરાઓના ભાંગીને ઘણા ટુકડા થઈ ગયા છે. પહેલા પતરાના ચાર, અને બીજના છ ટકડા સાચવેલા છે. તેમની મદદથી દાનપત્રને મોટા ભાગ વાંચી શકાય છે. કંઈ બહુ નુકસાનભરેલી ખટ જણાતી નથી. દરેક પતરું ૧૧”x૧ 3 '' ના માપનું છે. લેખને ઈજા એટલી બધી થઈ છે કે તેની છાપ લઈ શકાય તેમ નથી. બીજા પતરાંના, આશીર્વાદ અને શાપ આપનાર શ્લેક અને તિથિવાળા ભાગે પૂરતા સ્પષ્ટ છે. વલભીમાંથી જાહેર થયેલું આ દાનપત્ર ધ્રુવસેન ૧ થી આનર્તપુરમાં વસતા એક બ્રાહ્મણને અપાયેલા દાનની નેંધ લે છે. દાન લેનાર પુરૂષ અને દાનની મિક્તનું વર્ણન વાએલ છે. પણ તે મિલકત કેન્દ્રક મંડલીમાં કેટલાંક પાદાવર્ત ભૂમિની છે. દાનપત્રમાં જાણવાલાયક ત્રણ વિશેષ હકીકત છે. ધ્રુવસેન માટે, તે નૃપનાં બીજ દાનમાં, અને તેનું નામ જણાવતાં અન્ય દાનમાં, ન મળતું એવું એક વધારે ઉપનામ આ દાનમાં આપણે જોઈએ છીએ. તે ઉપનામ પહેલા પતરાની પંક્તિઓ ૧૦ અને ૧૧ માં જણાવેલું છે. બીજી બાબત એ છે કે આ દાનની તિથિ શબ્દોમાં અને સંખ્યા બનેમાં આપી છે તેથી તિથિની સંખ્યા સંબંધે કંઈ પણ શક રાખવાની જરૂર નથી. તિથિ અને લખનારનું નામ એક લેકમાં આપ્યાં છે. લખનારનું નામ તદન નવું છે. દૂતકનું નામ આપ્યું નથી. દાનની તિથિ સંવત ૨૨૬ નવી છે. અને વલભી સમયના જ્ઞાનને માટે ઘણી મહાન અગત્યની છે. કારણ કે અત્યાર સુધી જાણેલી નૃપ ધ્રુવસેનની તિથિ સંવત રર૧ હતી ( વી. ઓ. જ. લે. પા. ૨૯૭) અને તેથી આપણે દાનપત્ર, તેના રાજ્યને સમય આમ ઓછાંમાં ઓછાં પાંચ વર્ષ વધારે છે. વલભી નૃપ ગુહસેનની બીજી તિથિ ૨૪૦ (ઈ. એ. . ૭, પા. ૬૬) મળેલી છે. વચ્ચે થએલા નૃપ ધરપટ્ટે કોઈ પણ દાન કર્યું કે નહિ તે જાણીતું નથી. ૧ જરનલ છે. પ્રા. ર, એ. સે. ન્યુ સી, તા. ૧ પા. ૧૬ ડી. બી. દિકર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy