SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ન૦ ૨૯ ધ્રુવસેન ૧ લાનાં વાવડી જોગીયામાંથી મળેલાં તામ્રપત્રો ગુ. સં. રર૧ આધિન વ. ૧ જૂનાગઢ તાબે ભેસાણથી થોડે છેટે અને ગાયકવાડના માણેકવાડાથી વાયગ્યમાં ૧૧ માઈલ છેટે આવેલા વાવડી જોગીયા ગામડામાં રહેતા બે બ્રાહ્મણ ભાઈઓ પાસે આ તામપત્રા હતાં. આમાંના એક તામ્રપત્રમાં કાંઈક પૈસાની વાત હશે એમ માની થોડી પંક્તિની નકલ ઉતારી મને પૂછવા આવ્યા. આ વલભીના તામ્રપત્રમાંથી છે એમ તેને સમજાવ્યું ત્યારે મૂળ પતરાં દેખાડવા કબુલ કર્યું. છેડા માસ બાદ તે પોતાના ભાઈ સાથે રાજકોટ તે પતરાં લઈને આવ્યા. આ પતરાં પાછાં ઉપલબ્ધ નથી. ( પતરાંનું માપ ૧૦ ઈ. Xા ઈ. હતું અને દરેકમાં બબ્બે કાણાં હતાં જેમાં નાંખેલી કડીથી તે બાંધેલાં હતાં, બને પતરાં સુરક્ષિત હતાં માત્ર સાત આઠ અક્ષર ગયેલા હતા તે અટકળ થી બેસારી શકાય તેમ હતા. અક્ષર સારી રીતે અને ચોખા કોતરેલા હતા. પહેલા કરતાં બીજાના ઉપર અક્ષરો જરા નાના હતા અને તેનું કારણુ એ હતું કે પહેલામાં જ્યારે ૧૫ પંક્તિ હતી ત્યારે બીજી માં ૧ડા પંક્તિ સમાવવી પડી હતી. ભાષા સંસ્કૃત હતી. અનુસ્વાર વિગેરેના તેમ જ શબ્દની ફેરબદલી મળી ને લગભગ ચાળીસેક ભૂલ હતી. તામ્રપત્ર અંદરની હકીકતમાંથી વલભી વંશના ઇતિહાસ ને લગતી કાંઈ નવી બીના મળતી નથી. તેની અંદર લખેલાં ગામડાંઓ હાલ વાવડી જેગીયા આસપાસ મળતાં નથી. શમિટુમ્બર (પડ્યું ૧ . ૧૫), ભદ્રેણિકા (પ ૨ ૫. ૧૮), દ્રાણિક) પત્રે ૨ . ૧૭), સરસ્વતિવટ (પવું. ૨ ૫. ૨૦) વગેરે ગામડાં વાવડી જોગીયાની આસપાસ મળતાં નથી. અત્યારે તે તેની પૂર્વમાં ગલથ, દક્ષિણે રફાલિયા અને ભેસાણ પશ્ચિમે રાણપુર અને ખંભાલિયા અને ઉત્તરે બરવાલા અને હડમતિ નામનાં ગામડાં મળે છે. આ ઉપરથી અટકળ થાય છે કે કાં તે ગામડાંનાં નામ બધાં ફરી ગયાં છે. અગર તે દાનનું સ્થળ કાઠિયાવાડની બહાર હોવું જોઈએ. રાધાણપુર તાલુકામાં સમી નામનું ગામડું છે અને તેનાથી ઉત્તરે પાંચ માઈલને છેટે સરસ્વતિ નદી વહે છે, જેના ઉપરથી સરસ્વતિવેટ પડેલું હોય પણ તે સિવાય બીજાં ગામડાં આસપાસ મળતાં નથી, એમ કબુલ કરવું જોઈએ. દાન લેનાર અંદત્રાત અને ગુહવ્યાત જે ભારદ્વાજ ગોત્રના છે અને છાંદેગસ સબ્રહ્મચારી છે તે નાગર બ્રાહ્મણ છે. આનન્દપુર એટલે કે ઉત્તર ગુજરાતમાંના વડનગરના રહેવાશી હોવાથી તેમ જ તેના નામ ઉપરથી તે અનુમાન બાંધી શકાય છે. તેનાં મૂળ નામ સ્કન્દ અને ગુહ હોવાં જોઈએ ત્યારે ત્રાત તે તેઓનાં શર્મ છે. તેવાં તેર શર્મો છે, અને અત્યારે પણ નાગર બ્રાહ્મણોનાં નામ સાથે ધાર્મિક ક્રિયા વખતે તેમાંનું એક જોડવામાં આવે છે. શ્રીમાલીર અને ઔદિચ્ય બ્રાહ્મણોમાં પણું ત્રાત શર્મ જોવામાં આવે છે. પણ ભારદ્વાજ અને આત્રેય ગોત્ર સાથે નાગરબ્રાહ્મણ જ્ઞાતિમાં તે શર્મ મળે છે તેથી આ દાન લેનારા નાગર બ્રાહ્મણ હતા, એ સાબીત થાય છે. દતકનું નામ ભક્ટિ આપવામાં આવ્યું છે. તેના ઇલકાબ ને અર્થ ચોક્કસ થઈ શક્તો નથી. તે શબ્દ સૂપ અને કારા વાંચીએ તે ભક્ટિ રસોડાને ઉપરી હોય એ અર્થ થાય છે પણ "સૂ”ને ત’’ ને બદલે હેય( ભૂલથી) તે તૂ%ાતિ ના અર્થ તપ અને જેલનો અધિકારી એવા થઈ શકે. વિશેષ વિવેચન આચાર્ય વલ્લભજી એ પ્રકટ કરેલાં આ નવાં તામ્રપત્ર ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. તેની સાલ ગુ. સં. ૨૨૧=૫૩૯-૪૦ ઈ. સ. જે સ્પષ્ટ રીતે લખેલ છે તે ધ્રુવસેનની પ્રાપ્ત સાલથી પાંચ વર્ષ માડી છે. તેથી ધ્રુવસેન ૧ લે સં. ૨૦૭ થી રર૧ સુધી રાજ્ય કરતા હો જોઈએ, એમ અનુમાન થાય છે. મી. વલ્લભજીનું શર્મ બાબતનું વિવેચન ઉપચગી છે અને જે બધાં દાનપત્રોમાંનાં નામો તથા તેનાં શે વિગેરેને સંગ્રહ કરવામાં આવે તે બ્રાહ્મણની પેટા જ્ઞાતિ માંહેના કેટલાક પ્રશ્ન ને નિકાલ થઈ શકે. મી આચાર્યે ગામડાંની ઓળખ આપી છે તે તપાસ કરવા જેવી છે. ૧ વીએના એરીયેન્ટલ જરનલ વ. ૭ પા. ર૯૭ આચાર્ય વલસજી હરિદત્ત. ૨ શ્રીમાલી તે શ્રીમાલ હાલના ભિનમાલ( મારવાડમાંના )ના રહીશ બ્રાહ્મણની ઉપાતિ હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy