SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મકકમ થઈ મુંડન કરાવી સાધુવેશ પરિધાન કરી ઓરડીમાં ત્રણ દિવસ સુધી રહ્યા, પણ સાધુવેશ ન તજ્યો. આ પિતાનો દઢ નિશ્ચય કેઈથી ફેરવી શકાય નહિ. અને આ સ્થિતિમાં લવારની પિળમાં સંઘની હાજરીમાં પૂ. શ્રી મણિવિજ્યજી દાદા પાસે સંવત ૧૯૩૪ના જેઠ વદી બીજના રોજ ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સિદ્ધિવિજયજી નામ રાખ્યું. ગુરૂ નિશ્રામાં રહી ગુરૂસેવા કરવા પૂર્વક વિદ્યાભ્યાસ કરે તે ભાવના હતી પણ બર ન આવી, અને ગુરૂઆજ્ઞા થતાં સુરત શ્રી રત્નસાગરજી વયેવૃદ્ધ અને ચારિત્રપાત્ર મુનિરાજની સેવામાં જવું પડ્યું અને સુરત પાસે રાંદેર ચોમાસું થયું. તેજ ચોમાસામાં અમદાવાદમાં આ સુદ ૮ ના રોજ પૂ. મણિવિજયજી દાદા સ્વર્ગવાસી થયા, આવી અચાનક ગુરૂદેવના સ્વર્ગવાસની વાતથી પોતાના દીલને ખુબ જ દુઃખ થયું. પરંતુ ગુરૂઆજ્ઞા મુજબ પૂ. શ્રી રત્નસાગરજી મહારાજની આઠ વરસ લગી એકધારી સેવા કરી પિતે એક આદર્શ વેચાવનો લાભ મેળવ્યું. આ અવસરે સુરતમાં ખરતરગચ્છના એક મુનિ બિમાર પડ્યા; એવી ખબર પડતાં મુનિશ્રી સિદ્ધિવિજયજી ત્યાં પહોંચી ગયા, અને સેવાનું કાર્ય માથે લીધું. ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચે અને ખતરગચ્છના મુનિ પાસે જઈ ગોચરી આદિ લાવી આપી ખરે બપોરે પિતે એકાસણું કરે. આ રીતે પોતે વેચાવચ્ચ તપશ્રય અને વ્યાખ્યાન સાથે અભ્યાસ આદિ કરવા આરાધના કરી પિતાના આત્માને સાફલ્ય બનાવતા રહ્યા. પિતાના ઉપદેશથી - સુરતમાં પાઠશાળા સ્થાપિત કરી પણ તેમાં પાઠશાળાની સાથે રત્નસાગરજી નામ રાખી સ્થાપના કરી, એ રીતે પિતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy