SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૪૩ " ઉત્કૃષ્ટ કાળે કે જે અવસર્પિણીમાં ચોથા આરાના મધ્યમાં અને ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના મધ્યમાં તીર્થકર હોય છે. જે વખતે મનુષ્યની સંખ્યા સર્વ કાળ કરતાં વિશેષ હોય છે, તે વખતે પાંચ ભરતને પાંચ અરાવતમાં એકેક તીર્થકર વિચરતા હોય તદુપરાંત પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના દરેક વિજયમાં એકેક તીર્થકર વિચરતા હોય તે પ્રમાણે આ અવસર્પિણીના ચોથા આરાના મધ્યમાં શ્રી અજીતનાથજી વિચરતા હતા ત્યારે આ ૧૬૦ જિન. વસ વિહરમાન તીર્થકરો જે વર્તમાન કાળે પાંચ મહાવિદેહમાં વિચરે છે તે વીસ તીર્થકર અને ૧૨૦.ભરતક્ષેત્રની વર્તમાન વીસીના ૨૪ તીર્થકરોના પાંચ પાંચ કલ્યાણકની પ્રતિમાઓ છે. ઉપર ૭૨૦ માં આ નામની ૨૪ પ્રતિમા આવેલી છે. પણ તેને સિદ્ધ-અવસ્થામાં ગણીને આ ૧૨૦ બીજી મુકેલ છે. આ મૂર્તિએ અંજન શલાકાની જેમ જુદા જુદા આકારની હવા સંભવ છે, છતાં સહસ્ત્રકૂટમાં તો એક સરખા આકારની જ કરવામાં આવે છે. આ ૧૨૦ નામ જુદા આપવામાં ન હોવાથી વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરના પાંચે કલ્યાણકની તિથિઓ તથા તેના આરાધનની વિધિ જણાવી છે. ચાર શાશ્વતા તીર્થકરની ૪ પ્રતિમાઓ તેનાં નામે ૧ રૂષભાનન-૨-ચંદ્રાનન–૩–વારિણ ને ૪ વર્ધમાન આ ચાર પ્રસિદ્ધ છે. ૧૦૨૪ એ પ્રમાણે તે તીર્થકર થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy