SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ * [ શ્રી ગિરનાર તીથ નુ વર્ણન શકેન્દ્રે તેમને જણાવ્યું કે, પૂર્વે જે વખતે ભરત ચક્રવર્તિ અહિંયા આવ્યા હતા, તે વખતે તે વખતના જે ઇંદ્ર શ્રી ઋષભદેવ સ્વામીને નમસ્કાર કરવા અર્થે આવેલા તે વખતે શ્રી ગિરનારજી ઉપર પણ જાત્રા કરવા અર્થે પધારેલા, તેમના ઐરાવણ હાથીના પગલાંથી ત્યાં કુંડ થયેા તેથી તેનું ગજપદ એવું નામ પડયું છે. ચૌદ હજાર નદિના પિરવારવાળી ગંગા નિનાં જળ આ કુંડમાં આવેલાં છે. માટે એ ગજપદ કુંડ પવિત્ર છે. તેના જળમાં સ્નાન કરવાથી ખાંસી, શ્વાસ, સુવારેાગ, જળેાદર, ગ્લાની વિગેરે નાશ પામે છે. બીજો ધરણેન્દ્રના, ચમરેન્દ્રના વિગેરે પણ કુડા છે. - શ્રી ગિરનારજીનાં બીજાં નામ, આરામાં પતની થતી વધઘટ અને સૌરાષ્ટ પડવાનું' કારણ ઃશ્રી ગિરનારજી, કૈલાસ, રૈવતાચલજી, ઉજ્જયંત, સુવણુ - ગિરિ, અને નદભદ્ર આ નામેા શ્રી ગિરનારજીનાં છે. પહેલે આરે ૩૬ યાજન, ખીજે આરે ૨૦, ત્રીજે આરે ૧૬, ચેાથે આરે ૧૦ યાજન પાંચમે આરે ૨ યેાજન અને છડે આરે ૧૦૦ ધનુષ્યનુ એમ પ્રમાણ છે. આ પર્વત પ્રાયઃ શાશ્વત છે શ્રી ઋષભદેવ ભગવંતે પેાતાના પુત્ર સુરાષ્ટ્રને આ દેશ ( કાઠીયાવાડ ) નું રાજ્ય આપવાથી આ દેશનુ નામ સુરાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર એવું નામ પડેલું છે. સૌરાષ્ટ્રની પ્રથમ રાજ્યધાની જુનાગઢ અથવા વામનસ્થળી ( વંથળી ) ગણાય છે. આવતી ચાવિશીમાં બાવીસ તીર્થંકર આ ગિરનાર પર્વત ઉપર અણુસણુ પૂર્ણાંક મુક્તિપદને વરશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy