SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આમ થવાથી આ જીવે જ્ઞાનિઓના વચનાનુસાર મનુષ્યજન્મ પણ અનંતીવાર મેળવ્યા પરંતુ સફળ ન થયા. જીવ દરેક ભવમાં આરંભે, સમારંભે હિંસાદિ આશ્રવો આચરી ને વળી અસંખ્યાતા કે અનંતકાળની મુસાફરીમાં સંસાર સમુદ્રમાં ચાલ્યા જાય છે. આવી આપણા આત્માની રખડપટ્ટી કેટલી થઈ હશે. એમ કેવળી ભગવાન મળે અને પુછાય તે વર્ણનથી કહી ન જ શકાય, માત્ર અનંતી જ સાંભળવા મળે, હજી પણ આવી ને આવી વિભાવદશા ચાલુ જ રહે તે હજી પણ અનંતકાળે ઠેકાણું પડવું મુશ્કેલ છે. માટે ભવના ભીરૂ આત્માએએ સમુદ્રમાં પાટીયા જેવું પણ કાંઈક અવલંબન હમણાં પણું આધવાના બી થવું પડશે. ભાઈ અત્યારે તે પાંચમો આરોપ છે. જ્ઞાનને અભાવ છે. સંઘયણ નબળાં છે. આવું આવું વિચારીને બેસી રહેવાય તે હમણાં આયુષ્ય પૂર્ણ થઈ જશે. યમરાજના સુભટે આવી પહોંચશે અને વંટોળ જેમ પાનડાને ગમે ત્યાં ફગાવી દે છે, તેમ કર્મસુભટો આપણા આત્માને ચારગતિમાં કયાંઇના કયાંઈ ફગાવી દેશે. - અત્યારે પણ આરાધના કરવી હોય તેને શ્રી વીતરાગદેવની વાણી અને શ્રી વીતરાગદેવની પ્રતિમા પાટીયા જેવાં નહી પરંતુ વહાણ જેવાં જીવને તારીને પેલે પાર પહોંચાડી શકે તેવાં હમણાં પણ વિદ્યમાન છે. શ્રી શત્રુંજયાદિ તીર્થો પણ હજી ઘણાં છે. પરંતુ આત્મા સન્મુખ બને, વીતરાગની વાણું અને પ્રતિમાને તન્મયપણે ઓળખનાર બને, તે જરૂર એક બે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy