SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય સૌરભ ઉત્સર્પિણીના પહેલા આરામાં સાત હાથનું જ ફક્ત માન રહે છે. કાળે કરીને વધઘટ થાય છે. પણ સર્વથા આ તીર્થરાજને નાશ ન હોવાથી પ્રાયઃ સદા શાશ્વત તીર્થ છે, જેની સાબિતિમાં વડનગર વલભીપુર અને પાદલિપ્તપુરની જુની તળેટીએ વર્તમાન કાળે મોજુદ સુચિહ્નો ધરાવતી દષ્ટિગોચર થાય છે. કાળચકે બાર આરાનું થાય છે તેમાં છ આરા ઉત્સપિણમાં અને છ આરા આવસર્પિણીમાં તેમાં હાલે વર્તમાન કાળમાં અવસર્પિણી ચાલે છે. તેને હાલ પાંચમે આરો કળિયુગ નામથી બોલાય છે, તેમાં તીર્થરાજનું માન બાર જન એટલે અડતાલીસ ગાઉનું વિસ્તારમાં છે. આ તીર્થરાજ ઉપર અનંતા તિર્થકરે, ગણધરે, મુનિવરે, મનુષ્ય અને તિર્યંચો શિવગતિ અને દેવગતીને પામ્યા છે, અને પામશે. આ તીર્થરાજના મોટા ઉદ્ધાર દેવે અને મનુષ્ય દરેક વીશીમાં કર્યા કરે છે. વર્તમાન ચિવશીના આદ્ય પહેલા તીર્થકર આદિશ્વર ભગવાન યાને ઋષભદેવ સ્વામી થયા છે. તેઓશ્રી પોતાના આયુષ્યના છેલ્લા બાકી રહેલા એક લાખ પૂર્વ વરસમાં નવાણું પૂર્વ વખત આ તીર્થરાજ ઉપર આવીને સમેસર્યા છે. (આ કારણથી નવાણું યાત્રાને મહિમા વધ્યું છે.) તેથી સર્વ તીર્થોના પતિ શ્રી શત્રુંજય તીર્થરાજના મૂકદમણિ શ્રી આદિશ્વર ભગવાન હોવાથી તેમની ભવ્ય અને મનહર પ્રતિમાજી તીર્થપતિરૂપે બિરાજે છે. કેવળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy