________________
૧૪૪
શ્રી શત્રુંજ્ય સૌરભ રસ્તામાં ચાલતાં ચેડે દૂર પહેલે કુંડ આવે છે તે ઈચ્છાચંદ શેઠ સુરતવાળાએ સં. ૧૬૮૧ માં બંધાવેલ છે. તેથી લેકે તેને ઈચ્છાકુડ અથવા નવે કુંડ કહીને ઓળખાવે છે. આ કુંડના પાસે રસ્તા ઉપર પત્થરની એક કુંડી મૂકવેલ છે. તેમાં પાણી ભરીને ચતુષ્પદ-જાનવરોને પવાય છે. અહીં એક સુંદર વિસામે કુંડના માથા ઉપર તથા એક બાંક બેઠક રસ્તા ઉપર આવે છે. અહીં રોકી બેસે છે.
કુંડ બીજો યાને કુમાર કંડ-પહેલા કુંડથી થોડાં પગથી ઉંચે ચડતાં એક દેહરી આવે છે, તેમાં બાલ બ્રહ્મચારી બાવીશમા તિર્થંકર ભગવાન શ્રી નેમિનાથજીના વરદત્ત. ગણધરનાં અને શ્રી ઋષભદેવજીનાં એમ ત્રણ જેડ પગલાં, છે. તેની સામે બાંક બેઠક જે નાને વિસામે છે. શ્રી નેમનાથજીની દહેરીથી ઉપર ચઢતાં થોડે દુર લીલી પરબ નામે ડાબા હાથ ઉપર વિસામાની દહેરી આવે છે. ત્યાં ડાહ્યાભાઈ દેવશી કચ્છીના નામથી પરબ બેસાડેલી છે. ત્યાંથી ડે. દુર ઉપર જતાં ડાબા હાથ ઉપર એક વિસામા દહેરી આવે છે, ત્યાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરબ બેસાડેલી છે. તેની જોડે જમણા હાથ ઉપર કુમાર કુંડ બંધાવેલ છે. વિસામે તથા કુંડ ગુજરાતના મહારાજા કુમારપાલ સોલંકીએ બંધાવેલ છે. પૂર્વ ઘણું રાજાઓ જનધમાં હતા તેમાં છેલ્લે જૈનધમી રાજા કુમારપાળ ગણાય છે. ફક્ત પાંચકેડીના સુગંધી પુષ્પ વડે પૂર્વ ભવમાં જિનરાજની ત્રીકરણ શુધ્ધ ઉચ્ચ ભાવનાથી પૂજા કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org