SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું ૧૨૭ પણ ચઢવા ઉતરવાની ડેળી થાય છે. નાના બાળકો માટે ઉપડામણીઆ મળે છે જે એક છોકરાને ઉપાડવાના આઠથી બાર આના જતાં આવતાંના લે છે. રય વિશ્રામસ્થાન તળેટીના પરથાર ઉપર ૩૫-૪૦ વર્ષ પહેલા મોટું વડવૃક્ષ હતું. તે યાત્રાળુઓને છાંયડે આપતું પણ તે અકસ્માત તૂટી પડવાથી યાત્રાળુઓ માટે લાકડાને માંડ કરવામાં આવ્યું હતું,પછીથી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ લાલભાઈ દલપતભાઈના પૂજ્ય માતુશ્રી શ્રી ગંગાબાઈએ સારે ખર્ચ કરી રોનકદાર કમાનેથી સુશોભિત છત્રીવાળું મનહર વિશ્રામસ્થાન બનાવરાવ્યું છે. આ ભાતા તળેટીના નામથી ઓળખાય છે, કારણ કે અહીં યાત્રા કરીને આવનાર દરેક યાત્રાળુઓને ચોમાસાના ચાર મહિના સિવાય હંમેશાં કળના લાડુ અને ગાંઠીયાનું ભાતી મળે છે. કઈ કઈ વખત ચા, દહીં, ઢેબરા કે બીજી વિધવિધ મીઠાઈ પણ ભાતીમાં અપાય છે. જે કઈ ભાઈ બહેનને એક દિવસની ભાતી આપવાની ઈચ્છા હોય તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નેંધાવે તે પેઢી તરફથી તે પ્રમાણે વ્યવસ્થા થાય છે સાધુ-સાધ્વીઓને પણ ચરી–પાણીને લાભ મળી શકે તે માટે બાજુમાં બગીચાને લગતા અગાસીબંધ ત્રણ મોટા ઓરડામાં બાંધવામાં આવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy