SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું ૧૧૩. સ્ટેશન ઉપર શેઠ કસળચંદ કમળસીની ધર્મશાળા છે. શહેરમાં પણ ધર્મશાળા તથા ભેજનશાળા છે. શ્રી યશવૃદ્ધિ જૈન બાલાશ્રમ જોવા લાયક છે. મહુવાના હાથીદાંત, લાકડાનાં રમકડાં બહુ જ પ્રખ્યાત છે. ઉપરાંત જમાદારી આંબાની કેરી, નાળીયેર, સોપારી, વિલાયતી જાંબુ તથા રામફળ અને સરઘવાના શાક માટે પણ પ્રસિદ્ધ છે. દાઠા—ઊંચી બાંધણીનું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે ધર્મશાળા પણ છે. તળાજા–ભાવનગરથી બત્રીસ માઈલ “તળાજા નામે સુંદર ગામ છે. 'મહુવાથી ભાવનગર સુધી રેલ્વેની સગવડ છે. તળાજામાં ધર્મશાળા અને ભેજનાલયની સુંદર સગવડ છે. અહીં શ્રી તાલધ્વજગિરિ ઝુલતી તે રણમાળ જે શેભે છે. તાલધ્વજ એ શત્રુંજયની એક ટૂંક ગણાય છે. આ નાનકડા રળી આમણ ડુંગર ઉપરથી સમુદ્રને ભેટતી શત્રુંજી નદીને વિશાળ પટ, ગોપનાથ મહાદેવને દ્વીપક૯પ, સમુદ્રના મોજાને ચળકાટ, શત્રુંજયગિરિની ઉજવળ શિખરમાળ આંખને આનંદ આપે છે. અહીં ડુંગરનું ચઢાણ બહુ સુલભ છે. નરસિંહ મહે તાનું જન્મસ્થાન તળાજા છે, અને ડુંગર ઉપર નરસિંહ મહેતાની નિશાળનું સ્થાન છે. એભલ મંડપના નામથી પ્રસિદ્ધ ગુફા–બૌદ્ધ ગુફાના અવશેષનું સ્મરણ કરાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy