________________
મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે નિવર એમ. ૯ હોય તેનો નાશ નહિ, નહીં તેહ નહિ હેય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦
x (૨) પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧
(પત્રાંક - ૨ ૬૬)
(જિનવર કહે છે)
(હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહાં વિશેષે, જીવ કરવા નિર્મળો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ વિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨
શ્રીરાજવંદના
૪૨
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org