________________
પ્રકાશકીય ઉચ્ચ કોટિના શિષ્ટ, સંસ્કારી, જીવનોપયોગી, સત્ત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્યની સમાજને ચરણે ભેટ ધરવી તે આ સંસ્થાની એક આગવી પરંપરા છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને પરમ તત્ત્વજ્ઞ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશ-વચનામૃતનો આ સંસ્થાના આદ્યસ્થાપક પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજીના જીવન ઉપર પરિવર્તનકારી જબરદસ્ત પ્રભાવ પડેલ છે.
શ્રી વીરપ્રભુની ૨૬૦૦મી જન્મ યંતી તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ શતાબ્દીવર્ષ નિમિત્તે “શ્રી રાજવંદના' તેઓશ્રીના પુનિત ચરણકમળમાં આત્મભાવે સાદર સમર્પિત કરીએ છીએ.
આ પુસ્તિકા સમાજના સૌ કોઈને પરમ ઉપકારી બને અને તેના વારંવાર અભ્યાસથી સત્પાત્રતાની વૃદ્ધિ થઈ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ. કોબા - સં. ૨૦૫૬, ચૈત્ર વદ ૫,
તા. ૨૩-૪-૨૦૦૦. પ્રકાશન સમિતિ
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org