________________
એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
( ધર્મ વિષે
(કવિત) સાહાબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સધ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું ! ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને,
જાળફંદ તોડવાને, હેતે નિજ હાથથી; શ્રીરાજવંદના.
૧૦
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org