________________
(જિનેશ્વરની વાણી)
(મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહે ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.) ૧
(મોક્ષમાળા શિક્ષાપાઠ - ૧૦૭)
(વસંતતિલકા વૃત) સંસારમાં મન અરે કયમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝટ પથે ગતિ એ જ જામે; માયા અહો ગણી લહે દિલ આપ આવી, આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org