________________
તારા સિવાય જોઈ દાતા નથી.તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ.
તું આનંદ છે, તે પ્રેમ છે. તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર.
દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર, કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિનો દૂર કર, સ્થી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું.
મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર.મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ.
તારા પસાયથી મન, વચન ને શરીર આદિજ શકિત હું પામ્યો છું તે સર્વે શકિત હુંખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુ:ખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ.
૯૮
શ્રીરાજવંદના www.jainelibrary.org
Jain Education International For Personal & Private Use Only