________________
હેશીલના સ્વામી !મને શીલથી બચાવ.મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હુંના ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર.મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્યશાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો.
હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ.
હે દેવ ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે ?
હું પાપમાં-બૂડી રહ્યો . હરઘડી પાપના કામમાં જ હર્ષમાની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે.
તારી પવિત્રતા મને દર વખતે ચેતાવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શકિત મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે.જેતારી કૃપા નજર થઈ તે પૂરી કર. શ્રીરાજવંદના
Clo
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org