________________
૩
નિત્યકમ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ,
પિછે લાગ સપુરુષક, તો સબ બંધન તોડ. ૬ મુંબઈ, ૧૯૪૭
-શ્રીમદ્ રાજચંદ્ર
૩૧. અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ). બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો, આંટો નહીં એક્કે ટળ્યો, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વઘતાં, શું વધ્યું. તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી, વઘવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી, જેóરેથી નીકળે, પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org