________________
નિત્યક્રમ (મધ્યાહ્ન પછીની ભક્તિનો ક્રમ : સમય ૨ થી ૪) મંગલાચરણ તથા જિનેશ્વરની વાણી : પૃષ્ઠ ૧-૨ વીશ દોહરાયમનિયમ–ક્ષમાપનાઃ પૃષ્ઠ ૬–૧૯૨૦
TE
૨૪. ગુણસ્થાન આરોહણ ક્રમ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંઘનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો ? અપૂર્વક સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ દર્શનમોહ વર્તીત થઈ ઊપજ્યો બોઘ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૃપનું ધ્યાન જો. અપૂર્વ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો, ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આઘીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ
Jain Education International
For Personal & Private Use Only
Forn
www.jainelibrary.org