________________
નિત્યક્રમ
*૨૩. છૂટક પદો સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા,” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોઘ, એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોઘ ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩ કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર, પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
ભિન્ન ભિન્ન મત દેખએ, ભેદ દ્રષ્ટિનો એહ, એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૃપ વૃક્ષનું, આત્મઘર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે, ઘર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર, અનુભવૈ ગુરુને સેવએ, બુઘજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ, તે જેનામાંથી ગયા, તે અનુભવ ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય,
પરમ પુરુષ તેને કહો, સરળ વૃષ્ટિથી જોય. ૫ વિ. સં. ૧૯૪૫
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org