________________
પ્રથમાવૃત્તિનું નિવેદન
દરરોજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં નિત્ય નિયમ તરીકે જે જે પાઠો બોલાય છે તે ભિન્ન ભિન્ન પુસ્તકોમાં હોવાથી નવીન મુમુક્ષુઓને તે શોધવામાં મુશ્કેલી પડતી, તથા પરગામ જવું હોય ત્યારે અનેક પુસ્તકો સાથે લઈ જવાં પડતાં; એ મુશ્કેલી દૂર થાય એ ભાવનાથી થામણ ગામના એક મુમુક્ષુભાઈ ઘીરજભાઈએ, બઘા પાઠ એક જ પુસ્તકમાં છપાય તો સારું એવી ઇચ્છા દર્શાવેલી અને તે અર્થે કુલ ખર્ચ આ પ્રકાશનખાતાને આપવા તેમણે કહેલું. તદનુસાર આ પુસ્તક પ્રગટ થયું છે, તે સર્વ મુમુક્ષુ ભાઈબહેનોની જરૂર પૂરી પાડે તેવું છે. ભાઈ થીરજભાઈને આવા સર્વ મંડળને હિતકારી વિચાર કરવા બદલ અને તે અર્થે આર્થિક મદદની પણ સગવડ કરી આપવા બદલ ધન્યવાદ ઘટે છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ,
જેઠ સુદ ૫, ૨૦૦૭
Jain Education International
For Personal & Private Use Only
અઘ્યાત્મપ્રેમી, બ્ર. ગોવર્ધનદાસ
www.jainelibrary.org