________________
૨૭૧
ર૭૧
નિત્યક્રમ ૩૬. ક્ષમાપનાપાઠનું પદ્ય
(રચનાર–એક મુમુક્ષુ) હે નાથ ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો; નહિ અઘમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીઘાં, નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીધાં. સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું; તજી યાદી આપની, મેં જ બગાડ્યું મારું. પ્રભુ ! દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી, વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. હું ભૂલ્યો, આથડ્યો, અને રખડ્યો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. હું પાપી મદોન્મત્ત, મલિન કર્મના રજથી; વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહીં, પ્રભુ ! મુજથી. હે પરમાત્મા ! હું પ્રપંચમાંહિ પડ્યો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. બની અંઘ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં, નાથ ! વિવેકની શક્તિ. ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો, ગ્રહો હેતથી હાથ. હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું; તુમ ઘર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org