SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ નિત્યક્રમ (૧૬) શ્રી નમિચ્છર જિન સ્તવન (હો પિયુ પંખીડા–એ દેશી) જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો; જાગ્યો સમ્યગૃજ્ઞાન સુઘારસ ઘામ જો, છાંડી દુર્જય મિથ્યા નીંદ પ્રમાદની રે લો. ૧ સહેજે પ્રગટ્યો નિજ પર ભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાઘન સાઘવે રે લો; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ઘર્મરસે હવે રે લો. ૨ ત્યાગીને સવિ પર પરિણતિ રસ રીઝ જો, જાગી છે નિજ-આતમ-અનુભવ ઇષ્ટતા રે લો; સહેજે છૂટી આસ્રવ ભાવની ચાલ જો, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો. ૩ બંઘના હેતુ જે છે પાપસ્થાન જો, તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો; ધ્યેયગુણે વળગ્યો પૂરણ ઉપયોગ જો, તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લો. ૪ ‘જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, - તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; 'જિન આલંબની નિરાલંબતા પામે જો, તેણે હમ રમશું નિજગુણ શુદ્ધ નંદનવનેરે લો ૫ ૧. જે ન તરી શકાય એવો અપાર સમુદ્ર જેવો સંસાર, તે ગાયની ખરીમાં પાણી ભરાયું હોય, તેવો અલ્પ કરી દીધો. ૨.પાઠાં.- જાણ્યો પૂર્ણાનંદ તે આતમ પાસ જો, અવલંબો નિર્વિકલ્પ પરમાતમતત્ત્વને રે લો.૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy