________________
૧૩૮
નિત્યક્રમ તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોય; તુમ દરિશણ થકી હું તર્પોજી, શુદ્ધ આલંબન હોય.વિ૦૬ પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે થિર મન સેવ; દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ વિ૦૭
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(નમો રે નમો શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી) સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લા સજ્જન-સંગાજી; એવા પ્રભુનું દરિશણ લેવું, તે આળસમાં ગંગાજી.સે૦૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી.સે૦૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી, વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી.સે૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજીજી, લોયણ ગુરુ પરમાત્ર દિયે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજીજી.સે૦૪ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી.સે૦૫ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચકયશ કહે સાચુંજી; કોડિકપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુવિણ નવિ રાચુંજી.સે૦૬
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(તે તરીઆ ભાઈ તે તરીઆએ દેશી) વિમલજિનંદશું જ્ઞાનવિનોદી, મુખછબી શશી અવહેલેજી; સુરવર નીરખી રૂપ અનુપમ, હજીયે નિમેષ ન મેલેજી. વિ૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org