________________
નિત્યક્રમ
(૧૦) શ્રી શીતલનાથ સ્વામી શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(મંગલિક માલા ગુણહ વિશાલા—એ દેશી) શીતલ જિનપતિ લલિત ત્રિભંગી વિવિધભંગી મન મોહેરે કરુણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે. શી૰૧ સર્વજંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે; ઘનાદાન૧ રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શી૦૨ પરદુઃખ છેદન ઇચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શી૦૩ અભયદાન તે મલક્ષય કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણવિણ કૃત ઉદાસીનતા, ઇમ વિરોઘ મતિ નાવે રે. શીજ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંયોગે રે; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગે રે. શીપ ઇત્યાદિક બહુભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અરિજકારી ચિત્રવિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શી૦૬
૧૨૭
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન (આદર જીવ ક્ષમા ગુણ આદર—એ દેશી)
શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાયજી; અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી, શી૰૧ ચરમજલઘિ જલ મિણે અંજલિ,ગતિ જીપે અતિવાયજી, સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી૦૨ ૧ હાનાદાનદેવું અને લેવું. ૨. માપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org