________________
નિત્યક્રમ ૨. જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નવનિક્ષેપે વ્યાખ્યાની છે, સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે, અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.)
૩. પ્રાતઃકાળની ભાવનાનાં પદો તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંઘ નશાય. આસ્રવ ભાવ અભાવતે, ભયે સ્વભાવ સ્વરૂપ, નમો સહજ આનંદમય, અચલિત અમલ અનુપ. કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય, જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. કર્મ શાંતિકે અર્થી જિન, નમો શાંતિ કરતાર, પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org