________________
નિત્યક્રમ
અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે!
જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઊયત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેને યેગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયે, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! મુંબઈ, ફાગણ, ૧૯૫૦
શ્રીમદ્ રાજચંદ્ર
વીતરાગને કહે પરમ શાંત કર્મય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખવો. જીવના અધિકારીપણને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org