________________
૪૮
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહૌંએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઢે વર્તે જેહ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અણિત. ૧૪૨
*
સાઘન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. श्री सद्गुरुचरणार्पणमस्तु ।
(૧૪૦) સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ર જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચાજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે.
"
(૧૪૧) પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠ સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે, તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ. તેને પામે.
(૧૪૨) પૂર્વ પ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org