________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮
(૧) સમાઘાન -- સદ્ગુરુ ઉવાચ
(આત્મા છે એમ સદ્ગુરુ સમાઘાન કરે છે.) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એધાણ એટલે ચિલ નથી.
(૪૭) અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? " (૪૮) માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો, એટલે સમાઘાન હોય તો કહો.
(૪૯) દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદા છે, કેમ કે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે.
૧. દેહાધ્યાસહઅધ્યાસ. અધ્યાતમિથ્યા આરોપણ, ભ્રાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org