________________
૧૫
આત્મસિદ્ધિશાસ્ત્ર
પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાઘાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર ‘સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોથે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮
(૩૫) પ્રત્યક્ષ સગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાઘાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ઘારણ કર્યા વિના જતા નથી તે સદ્ગુરુયોગથી સમાઘાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એક્તાથી આજ્ઞાંકિતપણે વર્તે.
(૩૬) ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં.
(૩૭) એમ અંતરમાં વિચારીને જે ગુરુના યોગનો શોઘ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં, -- એ રોગ જેના મનમાં નથી.
(૩૮) જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ ૧. સમંત સંમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org