________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાઘન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનુ-અઘિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સ૨ળપણું ન મઘ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨
૧૩
કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને શાની માની લઈને સાઘન રહિત વર્તે.
(૩૦) તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે.
(૩૧) એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અન્-અઘિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવાયોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય.
(૩૨) જેને ક્રોથ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા
૧. કષાય=ક્રોઘ, માન, માયા અને લોભ કષાય કહેવાય છે.
૨. મઘ્યસ્થતા=ઉદાસીનતા; રાગદ્વેષરહિતપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org