________________
૧૦
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
એવો માર્ગ વિનય' તણો, ભાખ્યો શ્રી વૌંતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦
અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહા મોહર્નીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧
૨
૩
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨
(૨૦) એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાથક જીવ હોય તે સમજે.
(૨૧) આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે.
(૨૨) જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે.
૧. વિનયસેવાપૂજાદિ
૨. મોહનીય કર્મ=આઠ કર્મોમાં એક મોહનીય કર્મ, જે કર્મોનો રાજા કહેવાય છે, તેના પ્રભાવે જીવ સ્વરૂપને ભૂલે છે.
૩. મુમુક્ષુ=મોક્ષની ઇચ્છાવાળો; સંસારથી છૂટવાની જેની ઇચ્છા છે તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org