________________
૪૦
બંઘ મોક્ષ સંયોગથી, જ્યાં લગી આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ વર્તે બંઘ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ રહે અરૂપી રૂપને, એ અચરજની વાત; જીવ બંઘન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ? ૬ પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે વૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ ૨ પરમ પુરુષ પ્રભુ ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧
રાળજ, ભા. સુદ ૮, ૧૯૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org