________________
૧૭
સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને,
આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને,
દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧
કરોળી પડી દાઢી ડાચાંતણો દાટ વળ્યો, - કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું,
તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ; વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો,
ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ. ૨
કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રૂંઘાઈ ગયું, શરીર સુકાઈને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org