SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. રાણકપુર જોધપુર રાજ્યના ગોડવાડ પ્રાંતના દેસૂરી જિલ્લામાં સાદડીથી ૬ માઈલ દૂર પૂર્વ-દક્ષિણ દિશામાં, મદ્યાર્ક નામની વહેતી નદીના કિનારે ‘રાણકપુર' નામે ગામ છે. આ ગામ આડાવલા (અરવલી)ની પશ્ચિમ બાજુની ખીણમાં સઘન વનરાજિથી વીટાયેલું છે. અત્યારે આ ગામ ઉજજડ છે. ગામ : રાણકપુર ગામ કયારે અને કેવી રીતે વસ્યું એની વિગત એવી જાણવા મળે છે કે, ધરણાશાહ અને રત્નાશાહ નામના એ જૈન ભાઈ એ મેવાડના રાણાના રાજ્યમાં અધિકારપદે હતા. તેમાં ધરણાશાહ તે રાજાના ખુદ મત્રીપદે હતા; તેમણે જૈન મંદિર બાંધવા માટે મેવાડના રાણા પાસેથી જમીન ખરીદી ત્યારે એમને એ જમીન એવી શરતે આપવામાં આવી કે, જૈન મંદિરની સાથેાસાથ ગામ પણ વસાવવામાં આવે અને તેનું નામ રાણાના નામ ઉપરથી પાડવામાં આવે. આ ઉપરથી માદ્રી પર્વતની રમ્ય ઉપત્યકામાં વસેલા ‘માડી ’ ગામની જે જમીન મંદિર માટે પસ ંદ કરવામાં આવી તેને રાણાના નામ ઉપરથી ‘રાણકપુર' નામ આપવામાં આવ્યું અને એ રીતે એ પ્રસિદ્ધિમાં આવ્યું. જો કે રાણકપુર આજે ખંડિયેર હાલતમાં વેરાન બન્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy