________________
૧૯૪
ભારતીય અભિલેખવિદ્યા હર્ષ સંવતનું જણાયું છે.૧૧ એવી રીતે વર્ષ ૪૮, ૭૩, ૮૩, ૧૪૩, ૧૮૪, ર૦૭, ૨૧૮, ૨૫૮, ૨૭૬, ૨૯૮ અને ૫૬૩ ના અમુક અભિલેખમાં આપેલાં વર્ષ પણ એ આધારે હર્ષ સંવતનાં હોવાનું માલૂમ પડે છે. ૧૨ આ લેખ રાજરથાન, પંજાબ અને મધ્ય પ્રદેશમાં મળ્યા છે.
નેપાલની વંશાવળાઓ પ્રમાણે ત્યાંના રાજા અંશુવર્માના રાજ્યારોહણ પહેલાં વિક્રમાદિત નેપાલ આપીને ત્યાં પિતાને સંવત પ્રવર્તાવેલો. આ પરથી અંશુવર્માના અભિલેખોનાં ઉપલબ્ધ વર્ષ ૩૪ થી ૪૫ ને તેમજ એના વંશજેના લેખોનાં વર્ષ ૪૮ થી ૧૫૩ ને કેટલાક હર્ષ સંવતનાં માને છે. ૧૩ પરંતુ અગાઉ જણાવ્યા મુજબ એ વપ હર્ષ સંવતથી થોડાં વર્ષ વહેલે, પ્રાયઃ શક ૫૦૧(ઈ. સ. પ૭૯)માં, શરૂ થયેલા સંવતનાં છે.
હર્ષ સંવતના આરંભવર્ષની બાબતમાં અલ બેરુની સેંધે છે કે મથુરાકને જ પ્રદેશના કેટલાક રહેવાસીઓના જણાવ્યા મુજબ શ્રીહર્ષ અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૦૦ વર્ષનું અંતર છે, જયારે કાશ્મીરના પંચાગમાં શ્રીહર્ષિ વિક્રમાદિત્ય પછી ૬ ૬૪ વ થયો હોવાનું લખે છે. ૧૪ છતાં એ આ બેમાં વિ. પૂ. ૪૦૦ ના મતને સ્વીકારવાનું વલણ ધરાવે છે. ૫
ચક્રવત હર્ષને ઇતિહાસ તપાસતાં માલૂમ પડે છે કે યુએન સ્વાંગ એનું રાજ્યારોહણ ઈ.સ. ૬૪ર પહેલાં ૩૬ વર્ષે અર્થાત ઈ.સ. ૬૦૬માં જણાવે છે, જ્યારે યુઅન સ્વાંગના જીવનચરિત અનુસાર ઈ. સ. ૬૪૨ માં એના રાજ્યારંભને ૩૦ વર્ષ થયાં હતાં એટલે કે એનું રાજ્યારોહણ ઈ.સ. ૬૧રમાં થયું હતું. આ ૬ વર્ષના ફેરનું કારણ એ લાગે છે કે હર્ષ થાણેશ્વરની બાપીકા ગાદીએ ઈ. સ. ૬૦૬ માં આવેલો, પરંતુ એ ચક્રવતી તરીકે કનોજમાં સત્તારૂઢ ૬ વર્ષ પછી ઈ.સ. ૬૧૨ માં થયો હતો. ૧૬
આ હકીકતના પ્રકાશમાં અલ બેનીનાં વિધાન તપાસતાં માલૂમ પડે છે કે હર્ષ સંવત વિ. સં. ૬૬૩(ઈ.સ. ૬૦૬)માં શરૂ થયો હોવો જોઈએ ને આથી અલ બેરુનીએ એ બાબતમાં નોંધેલી કાશ્મીરના પંચાંગની પરંપરા ખરી ગણાય.
આથી વિ. સ. પૂર્વે ૪૦૦ ને મત અગ્રાહ્ય કરે છે. આ સંવતનાં વર્ષ ચિત્રાદિ અને એના માસ પૂર્ણિમાન્ત લાગે છે.
હર્ષ સંવત રાજસ્થાન-પંજાબમાં ખાસ કરીને લગભગ ૩૦૦ વર્ષ (લગભગ ઈ. સ. ૯૦૬ સુધી) અને ચેડા પ્રમાણમાં છેક લગભગ સાડા પાંચસો-છસો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org