SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખનની સામગ્રી ૧૧૯ તેની કડી વાળવામાં આવતી. એમાંની એક કડીના સાંધા પર તાંબાનો કે કાંસાનો ગઠ્ઠો લગાવીને તેના પર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી (આકૃતિ - Y *** : : $ DE આકૃતિ ૧૧ : વલભીનું તામ્રશાસન ૧૧), જેથી જુદાં જુદાં શાસનપત્રનાં પતરાંને આડાંઅવળાં જોડી શકાય નહિ. મુદ્રામાં અક્ષર ઊંડા કચવામાં આવતા, તેથી મુદ્રાંકમાં એ ઉપસેલા પડતા. તામ્રશાસનને પ્રાયઃ જમીનની અંદર, કોઠલામાં, કોઠીમાં કે દીવાલની અંદર રાખેલા બાકોરામાં રાખવામાં આવતું. આથી એના છેક ઉપલા તથા છેક નીચલા પતરાની બહારની બાજૂ કરી રાખવામાં આવતી. અર્થાત પહેલા તથા છેલ્લા પતરાની માત્ર અંદરની બાજુ પર લખાણ કોતરવામાં આવતું; વચ્ચેનાં પતરાંની બંને બાજુઓ કેતરવાના કામમાં લેવાતી. પાસે પાસેની અભિલિખિત બાજુઓ એકબીજા સાથે ઘસાય નહિ તે માટે એની કિનારેને થોડી અંદર વાળવામાં આવતી. ૬૫ હસ્તપ્રતોની જેમ તામ્રપત્રો પર પણ લાંબી બાજુને સમાંતર લીટીઓ લખાતી. શિલાની જેમ તામ્રપત્ર પર પણ પહેલાં લહિયે શાહીથી લખી આપતો ને પછી કંસાર તે પ્રમાણે ઓજારથી અક્ષર કોતરતો. ઘણી વાર એ ચાલુ ટાંકણાએ સળંગ કરતો, તો કોઈવાર અલગ અલગ બિંદુઓ રૂપે કોતરતો.૬ પ્રાચીનકાલના ભારતીય અભિલેખોમાં તામ્રપત્ર ઠીક ઠીક સંખ્યામાં મળે છે. ફા–હ્યાન (લગભગ ઈ. સ. ૪૦૦) નોંધે છે તે પ્રમાણે એણે ભારતમાં અનેક બૌદ્ધ વિહારમાં તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન જોયેલાં ને એમાંના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy