SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય અભિલેખવિધા ચોથી સદી . દરમ્યાન ધીમે ધીમે દક્ષિણ ભારતમાં પણ પ્રાકૃતને સ્થાને સંસ્કૃત ભાષા પ્રત્યેાજાવા લાગી.૨૦ પાંચમી સદીથી ભારતમાં લગભગ બધા અભિલેખ સ`સ્કૃત ભાષામાં લખાતા. જૈન ચૈત્યને લગતા કાઈ લેખ કે પ્રાકૃત સાહિત્યની કૃતિને લગતા કાઈ અભિલેખ જ પ્રાકૃતમાં લખાતા.૨૧ સમય જતાં સાર્વજનિક માહિતીને લગતા અભિલેખ ચાલુ પ્રાદેશિક ભાષામાં લખાવા લાગ્યા, છતાં સંસ્કૃત ભાષા તરફની અભિરુચિને લઈ ને વત્તાએછા પ્રમાણમાં કેટલાક અભિલેખ અદ્યપર્યંત સંસ્કૃતમાં લખાવા ચાલુ રહ્યા છે. અલબત્ત, મુસ્લિમ શાસનકાલથી શરૂ થતા મધ્યકાલથી સંસ્કૃત ભાષાનું પ્રમાણ ઉત્તરાત્તર ઘટતું ગયું છે તે ચાલુ પ્રાદેશિક ભાષાઓનુ પ્રમાણ ઉત્તરાત્તર વધતું રહ્યું છે. અર્વાચીન અભિલેખા સંસ્કૃતમાં અપવાદરૂપે જ લખાય છે. પ્રાદેશિક ભાષાઓને ભારતીય અભિલેખામાં સહુથી પ્રાચીન પ્રયાગ દક્ષિણ ભારતમાં મળ્યા છે. એ ભાષાએ દ્રવિડકુલની છે. તમિળનાડુમાં મળેલા કેટલાક નાના લેખ, જે તમિળ ભાષામાં લખ્યા લાગે છે, તે છેક ૨૭-૩જી સદીના હોવા સંભવે છે. ૬ઠ્ઠી સદીથી પલ્લવ રાજાએનાં તામ્રપત્રામાં સંસ્કૃતની સાથે તમિળ ભાષા પ્રયાજાઈ છે તે સમય જતાં તે ભાષાનું પ્રમાણ વધતુ રહે છે. ચક્રવતી' પલવાનાં તેલુગુભાષી પ્રદેશ માટેનાં દાનપત્ર સંસ્કૃતમાં જ લખાતાં, જ્યારે તમિળભાષી પ્રદેશ માટેનાં દાનપત્ર અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ તમિળમાં લખાતાં.૧૨ એમાં સ ંસ્કૃત લખાણ ગ્રન્થલિપિમાં અને તમિળ લખાણ તમિળ લિપિમાં લખાતું. શરૂઆતના ચેાળ રાજાઓનાં તામ્રપત્ર પણ સસ્કૃત-તમિળમાં લખાયાં છે, દા. ત. રાજરાજ ૧લા (ઈ. સ. ૯૮૫-૧૦૧૬ ) અને રાજેન્દ્ર-ચાળ ૧લા (ઈ. સ. ૧૦૧૨-૧૦૪૩)૨૩ તાં. પરંતુ ચેાળ રાજ્યનાં પછીનાં તામ્રપત્ર માત્ર તમિળ ભાષામાં લખાતાં, જેમ કે રાજાધિરાજ ૧લા (ઈ. સ. ૧૦૧૮-૧૦૫૨), કુલેાત્તુંગ ૧લા (ઈ. સ. ૧૦૭૦-૧૧૧૮), રાજરાજ ર જા (ઈ. સ. ૧૧૪૬-૧૧૭૩) અને કુલેાત્તુંગ ૩ા (ઈ. સ. ૧૧૭૮-૧૨૧૬)નાં.૨૪ કેરલના રાજા ભાસ્કર રવિવર્માનું તામ્રપત્ર (ઈ. સ. ૧૦૨૧) તમિળ ભાષામાં અને વદેળુતુ લિપિમાં લખાયુ છે.૨૫ પાંડવ રાજાઓનાં શરૂઆતનાં શાસન સંસ્કૃત અને તમિળમાં છે, પરંતુ એમાં તમિળ લખાણ વરૃળુત્તુ લિપિમાં છે. પાંડચ રાજ્યનાં પછીનાં તામ્રશાસન તમિળમાં જ છે, જેમ કે વીરપાંડનું ઈ. સ. ૧૪૭૦ નું તામ્રપત્ર.૨૬ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy