SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અભિલેખવિદ્યા વિલક્ષણ છે. એનાં રૂ નું ચિહ્ન નાગરી ૭ને ભ્રમ કરાવે તેવું છે. ચ નો ઉચ્ચાર ત્યાં ન જેવો થતો હોવાથી જ્યાં ય ઉચ્ચારવાનો હોય ત્યાં તેના ડાબા પાંખા નીચે બિંદુ ઉમેરવામાં આવે છે. આ લિપિમાં અનુસ્વારને બદલે તે તે વર્ગને અનુનાસિક પ્રચલિત છે. સંયુક્તાક્ષરોમાં પૂવગ ત અને અનુગ ચ વિશિષ્ટ મરેડ ધરાવે છે. હલને તે માટે નાગરી ? જેવું ચિહ્ન છે ને સંયુક્તાક્ષરમાં પૂર્વગ ત માટે પણ મોટે ભાગે એ ચિહ્ન પ્રયોજાય છે. જેમ કૈથી લિપિ એ નાગરી લિપિનું રૂપાંતર છે તેમ મૈથિલી લિપિ એ બંગાળી લિપિનું રૂપાંતર છે. મિથિલ (તિરહુત) પ્રદેશના બ્રાહ્મણે સંસ્કૃત ગ્રંથ લખવામાં આ લિપિ વાપરતા. એમાં વ.ને ૩ જુદા છે. સ્વરમાત્રાઓમાં ૩ ની માત્રા નાગરી માત્રા જેવી છે. અંકચિહ્નોમાં રૂ નું ચિહ્ન પણ નાગરી રૂ જેવું છે. બાકીની બધી બાબતોમાં આ લિપિના અક્ષર બંગાળી લિપિના અક્ષરનાં ઝડપથી લખી શકાય તેવા વળાંકદાર રૂપાંતર જેવા છે.” ઉરૂ અથવા ઉડિયા (ઓરિસ્સા) પ્રદેશની લિપિને ઉડિયા લિપિ કહે છે. આ લિપિ પ્રાચીન બંગાળી લિપિમાંથી નીકળી છે, પરંતુ સળંગ કલમે લખાય તેવા મરેડ તથા ગોળાઈદાર શિરેખાને લઈને આ લિપિના અક્ષર ઘણા વિલક્ષણ લાગે છે. છતાં ઇ, છે, ગો ને શી એ ચાર અક્ષર તો બંગાળી જેવા છે. સ્વરમાત્રાઓનાં ચિહ્ન પણ બંગાળી ચિહ્ન જેવાં છે. અંકચિહ્નોમાં ૪, ૭, અને ૬ નાં ચિહ્ન નાગરી ચિહ્નોને મળતાં છે, જ્યારે બાકીનાં વિલક્ષણ છે.પ૦ - પ્રાચીન તેલુગુ-કાનડી લિપિમાં સમય જતાં અક્ષરની ગોળાઈ વધવા લાગી ને ઝડપથી લખવાને લીધે અક્ષરના મરડ બદલાતા ગયા. પરિણામે, એમાંથી વર્તમાન તેલુગુ તથા વર્તમાન કાનડી એવી બે લિપિઓ વિકસી. તેલુગુ લિપિ ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એમાં ૩ થી . સુધીના સર્વ સ્વર માટે સ્વતંત્ર ચિહ્નો છે એટલું જ નહિ, અને ૩ોનાં સ્વ તથા દીર્ઘ એવાં બબ્બે ચિહ્ન પ્રચલિત છે. વ્યંજનોમાં નું ચિહ્ન ૪ ના ચિહ્ન પરથી સાબિત કરેલું છે. ૩ અને ૪ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. સ્વરમાત્રાઓમાં પણ ઈ તથા aો ની દૂર્વ-દીર્ઘ એવી બબ્બે માત્રાઓ છે. અંકચિહ્નોમાં ૩ અને ૪ સિવાયનાં ચિહ્ન વિલક્ષણ છે. તેલુગુ લિપિના અક્ષર એકંદરે ગોળમટોળ આકાર ધરાવે છે તે એમાં નાગરી લિપિની જેમ આડી શિરોરેખા હોતી નથી.૫૧ “તેલુગુ” નામ તેલંગ” (તેલંગણુ) પરથી પડ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy