SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર. વખત લાગે છે. આથી એને બદલે સળંગ શિરોરેખા તરીકે પહેલાં એક આખી લીટી દોરીને એની નીચે શિરોરેખા વિનાના અક્ષરે લખવાની પરિપાટી પ્રચલિત થઈ. વળી શીઘલેખન માટે અક્ષરેને વધુ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો; ને એથી ઘણું અક્ષરોના ઉપલા ડાબા છેડાને અને નીચલા જમણા છેડાને સ્વાભાવિક રીતે ગોળમરોડવાળો કરવામાં આવ્યો,૩૫ જેમકે ગ, ઘ, , ત, થ, દ, ધ, ૫, ૨, ૫, ૨, વ, શ, ષ, સ અને હમાં. ર અને ઢ જેવા અક્ષરોમાં માત્ર ઉપલા છેડાને અને , લ તથા વ જેવા અક્ષરોમાં માત્ર નીચલા છેડાને વળાંકદાર મરોડ આપવાની જરૂર પડી. 2 અને જેવા જે જૂજ અક્ષર અપવાદરૂપે જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે, તેમાં ઉપલા છેડાને જમણી બાજુનો વળાંક આપવામાં આવ્યું. ૩, ૫, ૩, ૬ અને હું જેવા અક્ષરેમાં શિરોરેખાને જડતી ઊભી નાની રેખાનો લોપ કરવામાં આવ્યો. એ માં ડાબા પાંખાના નીચલા છેડાને અને વચલા પાંખાના ઉપલા છેડાને ડાબી બાજને વળાંક આપવામાં આવ્યો. ૩ માં ઉપલા છેડાને ડાબી બાજુને વળાંક આપવામાં આવ્યું. ઉપરાંત એના નીચલા વળાંકને ઊંચે સુધી લંબાવવામાં આવ્યો. ૪ ની બાબતમાં એ વળાંકને જમણી બાજુએ લંબાવી છેક નીચે ઉતારવામાં આવ્યું. આ રીતે ઉ, ઊ, ગ, ઘ, ડ, છ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, ૫, મ, ય, ર, લ, વ, શ, ષ, સ અને હ જેવા ઘણા અક્ષરોના ગુજરાતી મરડ નાગરી રૂપમાં સહેજસાજ ફેરફાર કરવાથી તૈયાર થયા. સના ઉત્તરી મરોડને શિરોરેખા વિના અને સળંગ કલમે લખતાં “અ”મરોડ ઘડા. ૩ ને એ રીતે શિરોરેખા વિના અને સળંગ કલમે લખતાં એના નીચલા છેડાને જમણી બાજુએ ઊંચે લંબાવવામાં આવ્યો. માં એના ઉપલા વળાંકને ઈ'ના જમણા છેડા સાથે જોડવામાં આવ્યું. નાગરી લિપિમાં જેમ છેવટે તો નું સ્વતંત્ર રૂ૫ લુપ્ત થયું તેમ ગુજરાતી લિપિમાં 9 નું સ્વતંત્ર રૂપ પણ લુપ્ત થયું. આથી એ, એ, ઓ અને ઔ એ ચારેય અક્ષરને “અ” માં તે તે સ્વરમાત્રા ઉમેરીને સાંધિત કરવામાં આવે છે. શિરોરેખા વિના લખાતાં ન મરેડ જમણી બાજુ ઝૂકતો ગયો ને છેવટે એ ઝોક લગભગ પોણા ભાગ જેટલો થયો. રવને શિરોરેખા વિના લખતાં રવ” જેવું રૂપ થાય. આથી એને બદલે તેને સ્થાને ઘણી વાર પ્રયોજાતા ૫ માંથી “ખ” જેવું વિલક્ષણ રૂપ સાધવામાં આવ્યું. ૨ માં વચલી રેખાને આડી ઊભી રેખાથી અલગ પાડતાં અને એનું આખું ડાબું પાંખું સળંગ લખાતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy