SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :- રેવતાચલગિરિ પુંડરીક ગિરિરાજનું સુવર્ણમય મુખ્ય શિખર છે. મંદાર અને કલ્પવૃક્ષો વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાઈને રહેલું છે. તે મહાતીર્થ ઝરતા ઝરણાઓથી હંમેશાં પ્રાણીઓનાં પાતકને ધોઈ નાખે છે અને સ્પર્શથી પણ હિંસાના પાપને ટાળે છે. આ ગિરિરાજ પુણ્યનો રાત્રિ અને પૃથ્વીના તિલક જેવો છે. વળી સર્વજ્ઞ ભગવાનનાં ચરણથી પવિત્ર થવાના યોગે ત્રણ લોકના આભૂષણરૂપે શોભે છે. સર્વ તીર્થોમાં ઉત્તમ અને સર્વ તીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરિરાજ દર્શન અને સ્પર્શનમાત્રથી સર્વ પાપોને હણે છે. જલ તથા ફલ સહિત અને ભદ્રશાળાદિ વનથી વીંટાયેલો આ રમણીય રૈવતગિરિ ઈન્દ્રોનો એક કીડાપર્વત છે. જ્યાં સુધી રૈવતાચલે જવાય નહિં ત્યાં સુધી જ સર્વ પાપ ત્યાં સુધી સર્વ દુઃખ અને ત્યાં સુધી જ સંસારમાં વાસ છે. આ ગિરિરાજ પર આવીને જેઓ પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રમાં સદ્ભય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપિત્તઓ પ્રાપ્ત થાય છે. ભવ્ય પ્રાણીઓમાં ઉત્તમ એવો જે કોઈ પ્રાણી આ તીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે, તે હંમેશાં સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય થાય છે. વળી જે વિવેકી પુરુષ અહીં દશ પ્રકારના પ્રત્યાખ્યાન(તપ) કરે છે, તેને અનુક્રમે દશ પ્રકારનાં સ્વર્ગસુખ મળે છે. આ તીર્થમાં જેઓ ચતુર્થ, છઠ્ઠ, અને અઠ્ઠમ આદિ તપ કરે છે, તેઓ સર્વ સુખને ભોગવી અવશ્ય પરમપદને પામે છે.' “જે પ્રાણી અહીં ભાવથી શ્રી જિનપ્રતિમાની પૂજા કરે છે, તે શિવસુખને પ્રામા કરે છે, તો માનવસુખની તો વાત જ શી કરવી ? જે પ્રાણી અહીં ભાવથી સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વગેરે વહોરાવે છે, તે મુકિતરૂપી સ્ત્રીના હૃદયને આનંદ આપનારો થાય છે. આ તીર્થમાં સુવર્ણ, રૂપ્ય, અન્ન અને વસ્ત્રાદિક જે ભાવપૂર્વક જેટલા પ્રમાણમાં આપે છે, તેના કરતાં અનંતગણું લીલામાત્રમાં તે મેળવે છે. ત્રણ જગતમાં સર્વ તીર્થોને વિશે ઉત્કૃષ્ટ એવું આ મહાતીર્થ છે, જેમાં નિવાસ કરવાથી તિર્યંચ પણ આઠ ભવની અંદર સિદ્ધિને પામે છે. આ રૈવતગિરિ ઉપર વસતા વૃક્ષો અને મયૂરાદિ પક્ષીઓ પણ ધન્ય અને પુણ્યશાળી છે, તો મનુષ્યોની શી વાત કરવી ? દેવતાઓ, ઋષિઓ, સિદ્ધપુરુષો, ગંધર્વો અને કિન્નરાદિ આ તીર્થની સેવા કરવાને માટે સદા ઉત્સાહથી આવે છે. તેવી કોઈપણ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિક સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી, કે જે આ ગિરિરાજ પર ન હોય ! આ તીર્થમાં ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005399
Book TitleGirnar Granthoni Godma
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy