SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીમદ રાજચંદ્ર ધારતાં હતાં, તેમને કયા ભાવે જતાં હતાં તથા તેમનાં જીવન ઉપર શ્રીમદ્ રાજચંદ્રની કેવી અસર પડી હતી એ બધું અવશ્ય જાણવું જોઈએ. અહીં આપણે શ્રીમદના સીધા પ્રત્યક્ષ સમાગમમાં આવેલી વ્યક્તિઓમાંથી જેટલા વિશે આજ સુધી જે માહિતી ઉપલબ્ધ છે એને ટૂંકમાં પરિચય મેળવીએ. શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવી શ્રી ધારશીભાઈ શ્રીમદના સમાગમમાં કેવી રીતે આવ્યા એ વિશે આપણે આગળ જોઈ ગયા છીએ.* રાજકેટમાં એ પરિચય ગાઢ બન્યા પછી ધારશીભાઈ શ્રીમને મોરબીમાં અનેકવાર મળતા. તેઓ બંને વચ્ચે પત્રવ્યવહાર પણ થતું હતું. શ્રીમદે સં. ૧૯૪૮માં મુંબઈથી લખેલે પત્ર “મનને લઈને આ બધું છે.” વિચારવા જેવું છે. એમાં શ્રીમદ્દ લખે છેઃ “મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્બકમ ભેગવવાને અર્થે, જેના કલ્યાણને અર્થે તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વતે છે એમ જાણીએ છીએ.” પંચાસ્તિકાય”નું ભાષાંતર શ્રીમદે કરેલું તે ધારશીભાઈને અવગાહન અર્થે મોકલતાં સાથેના પત્રમાં શ્રીમદ્દ લખે છેઃ * જુઓ પ્રકરણ ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy