SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ થયા છો તે મારે બીજું કશું જોઈતું નથી, મને શ્રીકૃષ્ણની રાસલીલા, દેખાડે.” ભગવાને “તથાસ્તુ' કહીને નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની. રાસલીલા દેખાડી. આ કથા સાચી છે કે ન હ, પણ હિમાલયના આ વિભાગોમાં પરિભ્રમણ કરતાં મારા પૂરતું તે મને એમ જ લાગ્યું છે કે હિમાલયમાં ફરતાં ફરતાં મેં તે ભગવાનની રાસલીલાનાં જ દર્શન કીધાં છે. મારા પરિભ્રમણ દરમિયાન પરમાત્માના વિરાટ રૂપને જ મારી આસપાસ નાચતું મેં નિહાળ્યું છે, અનુભવ્યું છે. પર્વતની અનન્ત રેખાઓમાં, વૃક્ષોના પાર વિનાનાં ડેલનમાં, રસ્તાઓના ઢાળ-ઢોળાવમાં અને આમતેમ ઘૂમરી લેતાં વળાંકમાં, ગવર્નમેન્ટ રોડવેઝ કે કે. એમ. એ. યુ. લિમિટેડનાં વાહનોની તાલબદ્ધ ગતિમાં, પવનની સતત વહ્યા કરતી શીત-મધુર લહરીઓમાં, વાયુસંચાલિત ગાજતી અને ગુંજતી દેવદાર, ચીડ. વગેરેની વનરાજીઓમાં, શીતળ જળને વહન કરતી સરિતાઓમાં અને ખળખળ વહેતાં ઝરણુઓમાં અને ગગનચુંબી ગિરિશિખરામાં વિરાટની અપાર લીલા નિહાળી છે, નૃત્ય, નૃત્ય અને નૃત્ય જ જોયું છે, અને મારું મન તે સાથે સતત નાચતું રહ્યું છે. મેં તો સતત એક માસ સુધી એ રાસલીલા-રંગલીલા નિહાળી છે, મન ભરીને માણી છે. જીવનમાં આથી વધારે કૃતકૃત્યતા બીજી શી હોઈ શકે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy