SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ અને દુઃખ થાય છે.” આ સાંભળીને તે સંન્યાસી જરા ઝંખવાણ પડી ગયો અને બોલ્યો કે “આપ કહો છો તે બરાબર છે. આપનું અપમાન કરવાને મારે કોઈ આશય નથી. વળી, આપ તે બુઝર્ગ જેવા છો ? હું તે આપની પાસે બચું કહેવાઉં. પણ અમે સંન્યાસીએના ધ્યાન-ભજનમાં ભાગ ન પડે તે માટે અમારા જે નિયમ હોય તે તે પળાવા જ જોઈએ.” એમ કહીને પિતાનાં બાકી રહેલાં આસને પૂરાં કરવામાં તે લાગી ગયો. અમે તેની વર્તણૂકથી નાખુશ થઈને ત્યાંથી પાછાં ફર્યા. પાછળથી અમને ખબર પડી કે તે જગ્યાનો મહન્ત જવાન બૈરી મૂકીને મરી ગયેલે, તેની સાથે ઘર માંડયા જેવું શરૂ કરીને પેલે જુવાન સંન્યાસી જગ્યાને કબજો જમાવીને ત્યાં બેસી ગયો છે ! આ પણ અમારા માટે જલદી ન ભુલાય એ બનાવ બની ગયો. - નિવાસસ્થાને પહોંચ્યા બાદ નાહી-ધોઈ, પરવારીને અમે શાન્તિભાઈને તેમના ઘેર મળવા માટે બહાર નીકળી પડયાં. તેઓ માલ રોડ ઉપરથી નીચાણના ભાગમાં બાર રૂપિયાના ભાડાની એક ડબલ રૂમમાં રહે છે. ગરીબીને અને સાદાઈને વરેલા અનેક કાર્યકર્તાઓનું જીવન આજે જ્યારે આપણે ઊંચે ને ઊંચે ચડતું જોઈએ છીએ, ત્યારે આ દંપતોનું જીવન એનું એ જ આજે પણ એકસરખું સાદું, ગરીબીને વરેલું, ટકી રહ્યું છે. આ જોઈને તેમના વિષેના અમારા આદરમાં વૃદ્ધિ થઈ. કલાકેક બેઠાં. તેમણે ચાબિસ્કીટ વડે અમારું આતિથ્ય કર્યું. તેમના સૌહાર્દથી અમારું ચિત્ત ખૂબ પ્રભાવિત બન્યું. જાગેશ્વરથી આવ્યા પછી બીજે દિવસે બપોરના અમારી ઈચ્છા બીનસર જવાની અને ત્યાં રાત રોકાઈને બીજે દિવસે સવારના ભાગમાં આભેરા પાછા આવવાની હતી. પણ તે માટે ચિ. ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy