SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ S અંજલિ પિતાના મનમાં કોઈને તદ્દન વિરોધી કે વિપક્ષી માની તેના પ્રત્યે ડંખ કે કડવાશ સેવવાં એ પરમાનંદભાઈની હસમુખી પ્રકૃતિમાં સંભવિત હતું જ નહિ. એ તત્ત્વ એમના “પરમ આનંદ' નામને સાર્થક કરે છે એમ કોઈ પણ એમને બરાબર સમજનાર કહી શકશે. –પંડિત સુખલાલજી સમાજની સાંપ્રદાયિકતા ઉપર પ્રહાર કર્યા વગર બની શકે તેટલી એ સાંપ્રદાયિકતા ઓગાળી નાંખવી અને સમાજ ઝીલી શકે એ ક્રમે સમાજના જીવન અને ચિંતનક્ષેત્રો વ્યાપક કરતાં જવું એ હતી પરમાનંદભાઈની સ્થાયી નીતિ. – કાકાસાહેબ કાલેલકર પરમાનંદભાઈને ઘણું સમકાલીને અને મારા જેવા લઘુ બંધુઓને એમના જવાથી જીવનમાં મધુરતાની એક સરવાણ બંધ થયાની ખોટ વરતાશે. –ઉમાશંકર જોષી પૂરે વિચાર કર્યા વિના કેઈ દિવસ ન બેલે, પણ પૂરે વિચાર કર્યા પછી બોલવાને ડર ન રાખે એ મૌલિકતાને લીધે મને પરમાનંદભાઈ માટે ખૂબ માન હતું. –ફાધર વાલેસ જે મનુષ્ય માનવતાના પૂજારી છે, સત્યના સાધક છે, એમની નેંધ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી નોંધાઈ જાય છે અને જનતાના હૃદયસિંહાસન પર બિરાજમાન થઈ અમર બની જાય છે. ભાઈશ્રી પરમાનંદભાઈ પણ આજે સૌના હૃદયસિંહાસન પર બિરાજમાન થઈ અમર થઈ ગયા છે. –મહાસતીજી શ્રી ઉજ્વળકુમારીજી જીવ્યા છે મૃત્યુ જીતીને જિંદગીની પળેપળ; તમને સ્પર્શતાં મૃત્યુ પામ્યું સંજીવની - બળ. –ગીતા પરીખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy