SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ કે પિળમાં જાહેર રસ્તાઓ ઉપર ઢળવામાં આવે છે અને આસપાસ વસતા લોકો આને લીધે ખૂબ ત્રાસ ભોગવતા હોય છે. વળી મ્યુનિસિપાલિટીના કાયદાકાનૂનથી આ વિરુદ્ધ છે અને ગુન્હાહિત કાર્ય ગણાય છે. પાયખાનાં કે મુતરડીનો તેઓ ઉપયોગ કરી શકતા નથી. મોટા શહેરમાં તેઓ જે ઠેકાણે વસતા હોય છે ત્યાં અલાયદી જગ્યામાં કે મકાનની અગાસી ઉપર સારા પ્રમાણમાં રેતી પાથરવામાં આવે છે, અને તે ઉપર શૌચ કરવામાં આવે છે. આ સાફ કરવા માટે ભંગીને રોકવામાં આવે છે જે મેલુ ઉપાડીને આસપાસની ગટરમાં ઠાલવી દે છે. કોઈ પણ ઠેકાણે જૈન સાધુઓ સમુદાયમાં જાય તે તેમના માટે ખાવાપીવાની વ્યવસ્થા કરવાની કોઈ મુશ્કેલી હોતી નથી, પણ તેમના શૌચ પેશાબને લગતી વ્યવસ્થા કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને તે ખર્ચાળ પણ ઠીક ઠીક હોય છે. આજે હવે સાધુઓના આચારમાં રહેલી આવી બધી અસ્વછતાઓ જેમ બને તેમ જલદીથી દૂર કરવાની ખાસ જરૂર છે. સભ્ય સમાજમાં વસતા આદમીએ–પછી તે ગૃહસ્થ હોય કે સંન્યાસીસભ્યતાના પાયામાં રહેલો અમુક આચાર તો સ્વીકારવો જ જોઈએ. એમ ન કરે તો તે આદમી સમાજના અનાદરને – અણગમાને પાત્ર બને છે, સમાજમાં રહેવા લાયક તે ગણાતું નથી. સભ્ય સમાજમાં વસતો કોઈપણ નાગરિક દાતણ ન કરતો હોય, પિતાની જાત સાફ ન રાખતા હોય તે આપણે આજે કલ્પી જ શકતા નથી. આ ઉપરાંત ઝાડા પેશાબના નિકાલ માટેની ઉપર વર્ણવેલી પદ્ધતિ કેઈને પણ. દિલમાં ધૃણા પેદા કરે તેવી છે તેમના માટે દરેક ઉપાશ્રયમાં સગવડ થવી જ જોઈએ અને સાથે સાથે નહાવા ધોવાની પણ સરખી સગવડ. હોવા જોઈએ. - આ ચર્ચા વાંચીને કોઈ એવું અનુમાન ન કરે કે આ બધી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy