SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પણ-પત્રિકા “અહો! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહા ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયો, વનું ચરણાધીન ” मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः त्रिभुवनमुपकारश्रेणिभिः पूरयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ?" જેનાં મન, વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃત ભરેલું છે, જે ત્રણ લોકને ઉપકારની પરંપરા વડે પૂરી દે છે; અન્યના પરમાણુ જેવડા ગુણોને પણ જે પર્વત જેવડા ગણી સદા પિતાના હૃદયમાં વિકસાવે છે તેવા સંતે જગતમાં કેટલાક હોય? આવા વિરલ સલૂણા સંત શ્રીમદ્ લઘુરાજ મહારાજનો યોગ આ મનુષ્યભવનું સફળ૫ણું થવામાં ઉત્તમ નિમિત્તરૂપ બન્યો હોવાથી તથા જેમની છત્રછાયામાં આ “શ્રીમદ્ રાજચન્દ્ર જીવનકળા’ની સંકલનારૂપ શુભ કાર્ય શરૂ થઈ પૂર્ણ થયું હોવાથી, તેમ જ શ્રીમદ્ રાજચન્દ્રના આત્મજ્ઞાનનો વારસો પામી અનેક આત્માઓને આત્મજ્ઞાનનો રંગ લગાડવામાં એંશી વર્ષની પકવ વય થઈ ગયા છતાં પ્રબળ પુરુષાર્થમાં પ્રવર્તતા હોવાથી, તેમના જ યોગબળે તૈયાર થયેલ “ ફૂલ નહીં તે ફૂલની પાંખડી રૂપ આ પ્રયત્ન-પુષ્પ તેમની સેવામાં આત્મઅર્પણ ભાવે સાદર સમર્પણ કરી કૃતાર્થ થાઉં છું. લિ૦ તે પ્રત્યુપકાર વાળવા સર્વથા અસમર્થ, સદા આભારી સપુરુષના ચરણકમળની સેવાને ઇચ્છક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગોવર્ધન - ૯ -- Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy