________________
૧૪૬
વ્યાધિઓ શરીરમાં ફાટી નીકળે છે અને સે કર્યો વીછીઓ અંગે કરડી રહ્યા હેય એવી કારમી વેદના સગી ઊઠે છે. બીજી તરફ પિતાની સંપત્તિ અને પિતાના કુટુંબ પરિવાર--પિતાની ઔરત અને બાબરચાં એ બધાને જોઈ જોઈ એ ઝૂરે છે આ દિવિધ જ્વાળામાં ઘણી જ ખરાબ રીતે સેકા એ કમબખ્ત માણસ મેલા અને ગરીબડા ચહેરે ચાલી નીકળે છે. એની એ વખતની દુઃખ કરુણ સ્થિતિમાં એને પાર્ટી રાહત આપી શકે છે? કેાઈ એ દુખિયાને કંઈ ટાઢક કે શાન્તિ આપી શકે છે? એ બીચા રે પિતાના સ્વજનના મોઢા તરફ ટગરટગર જોયા કરે છે એવું સૂચવતો કે મને કોઈ બચાવો ! બચાવે ! ! પણ એને કોઈ પણ પ્રિયજન એને દુઃખને–એની વેદનાને-એના સન્તાપને જરા પણ હળવો કરી શકે છે? બધાના દેખતાં એ અનાથ, અશરણ, કૃપણ, કંગાલ-મોટો ભીમને ભાઈ હોય તે થે, મોટી દરિયા જેટલી લક્ષ્મી ધરાવનાર હેય તે યુ-ભાંગી ભુક્કો થઈ જાય છે, ક્યાંય અલેપ થઈ જાય છે-એકપણ કડી સાથે લઈ જઈ શક્યા વગર, વિવિધ પાપાચરણોથી પિતાને માટે અને વધુ તો બીજાઓને માટે ભેગું કરેલું જે ધન એમાંથી એક રાતી પાઈ પણ પિતાની સાથે લઈ જઈ શક્યા વગર જ. સંસારની આ હાલત છે! નકામી પારકી પંચાતનો પિટલો માથે ઉપાડી માણસ ઘૂમે છે અને નકામી માથાફોડ કરી હેરાનગતિને નોતર્યા કરે છે. સુખશાન્તિને માર્ગ સ્પષ્ટ હોવા છતાં એના જોવામાં આવતો નથી અને જોવાય છે તો એને અવગણીને હાથે કરી આડે રસ્તે ચાલે છે–હાથમાં દીવો લઈ કૂવામાં પડે છે !
મૃત્યુની અવસ્થા એ અત્યન્ત ગંભીર અવસ્થા છે. “મ મહામાં એ વચનથી મરણને મહાભય કહેવામાં આવ્યું છે. એમ છતાં આપણે મૃત્યુને મંગળમય બનાવવું છે. અને એ આપણું ખરેખર પરમ ધ્યેય છે. અને એમ કર્યા વગર છૂટ જ નથી. એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org