________________
૩૧
દર કરતુ નથી. તે ગમે તેવી મહત્વની વાત કહે તા પણુ કાઈ સાંભળવા ઉભું રહેતુ નથી. દ્રવ્યની સાથે જે જ્ઞાનના ચાગ હાય છે તા તે મનુષ્ય આખા સમાજને કે જાતીને સન્માર્ગે લઇ જઈ શકે છે. સંસારમાં જેટલી જ્ઞાનની જરૂર છે તેટલી જ ધનના પ્રભાવની પણ જરૂર છે. એક પાઇ પણ નકામી ખચી નાંખશે! નહીં. આજકાલ વિલાસ અને વૈભવના સાધના દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે, અને અનુભવવગરના ઉÇખલ યુવકા, દીવામાં પતંગીયા પડે તેમ, તેમાં હામાય છે. આવા અયેગ્ય મેાજશાખથી હજાર ગાઉ દૂર રહેજો. વિલાસી મનુષ્ય પૃથ્વીને ભારભૂત છે. કારણકે તે પેાતાના સ્વાર્થ સિવાય ખીજું કશું જોઇ શકતા નથી. વિલાસ અને વૈભવમાં મશગૂલ અનેલા અનેક રાજા-મહારાજાએ તથા આખી પ્રજાએ વિનાશને પામી ગઈ છે, તેના દ્રષ્ટાંતા ઇતિહાસમાં હજી પણ સચવાઈ રહ્યા છે. તમે હજી વિદ્યાભ્યાસ કરતા હેાવાથી અમને તમે કાંઈક ટૂન્યાપાર્જન કરી આપે!, એવી અમે ખીલકુલ આશા રાખતા નથી. ૫રંતુ જો તમે કરકસરથી અને સાવચેતી પૂર્વક વશેા, તે એક રીતે તમે અમને સહાય આપે છે, એમજ અમે તે! માનીશું. તમારા જેવા નવયુવાને માટે અધ:પતનના માર્ગો સદા ખુલ્લાજ હાય છે. પરંતુ ભૂલે ચૂકે પણુ એ તરફ દૃષ્ટિ કરશે! નહીં. ઉડાઉ મિત્રાના સહવાસ કરશે! નહીં. દ્રવ્યની કીંમત સમજો. ન્યુ ખર્ચથી ચેતતા રહેજો, એજ એક વાત મારે તમને આજે કહેવાની હતી, અને આશા રાખું છું કે તમે તેને હૃદયમાં ઉતારી દીધી હશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org